ડુંગળી ખાવાના ફાયદા

0
472

સલાડના રૂપમાં ભોજન સાથે ખાવામાં આવતી કાચી ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી. કાચી ડુંગળીમાં સલ્ફર અને જરૂરી વિટામીન છે જે શરીરના રોગોને દૂર કરે છે. કાચી ડુંગળીને સેંડવિચ, સલાડ કે પછી અન્ય રીતે ઉપરથી નાખીને પણ ખાઈ શકાય છે.

કબજિયાત દૂર કરે –
ડુંગળી માં રહેલા રેશા પેટની અંદર ચોંટેલા ભોજનને બહાર કાઢે છે. જેનાથી પેટ સાફ થઈ જાય છે. કબજિયાત રહેતી હોય તો કાચી ડુંગળી ખાવી જોઈએ.

ગળામાંથી કફ દૂર કરે –  શરદી, કફ કે ગળામાં ખારાશથી પરેશાની થતી હોય તો તાજી ડુંગળીનો રસ પીવો. તેમા ગોળ કે પછી મધ મિક્સ કરી શકો છો.

ડાયાબિટિશને કંટ્રોલ કરે – જો ડુંગળીને કાચી ખાવામાં આવે તો તે શરીરમાં ઈંસુલિન ઉત્પન્ન કરે છે. જો તમે ડાયાબિટિક છો સલાડના રૂપમાં લેવી જોઈએ.

હાર્ટની સુરક્ષા – કાચી ડુંગળી હાઈ બ્લડ પ્રેશરને નોર્મલ કરે છે અને લોહીની બંધ ધમનીઓ ને ખોલે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે – મિથાઈલ સલ્ફાઈડ અને અમીનો એસિડ હોય છે, જે ખરાબ કેલોસ્ટ્રોલને ઘટાડીને સારુ કોલેસ્ટ્રોલ વધારે છે.

કેંસર સેલની ગ્રોથ રોકે – ડુંગળીમાં સલ્ફર તત્વ વધુ હોય છે. સલ્ફર શરીરને પેટ, કોલોન, બ્રેસ્ટ, ફેફસા અને પોસ્ટેટ કેંસ્રરથી બચાવે છે. સાથે જ આ મૂત્ર પથ સંક્રમણની સમસ્યાને ખતમ કરે છે.

એનીમિયા ઠીક કરે – ડુંગળીને કાપતી વખતે આંખોમાંથી આંસુ ટપકે છે. આવુ ડુંગળીમાં રહેલા સલ્ફરને કારણે થાય છે. જ નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ સલ્ફરમાં એક તેલ રહેલુ હોય છે જે એનીમિયાને ઠીક કરવામાં મદદરૂપ છે. પરંતુ ભોજન બનાવતી વખતે આ સલ્ફર બળી જાય છે, તેથી કાચી ડુંગળી ખાવી જોઈએ.